એ શબ્દો છે
જે આગ લગાવે છે
મકાનોને, ઘરને, દેશને
ને માણસોને પણ.
શબ્દો આગ હોલવી
પણ શકે છે
શબ્દોએ માણસોને
લગાવેલી આગ.
શબ્દો ન હોત તો
ખરતી ન હોત
માણસની આંખમાંથી
ચિનગારી
કે
વહેતાં ન હોત
આંસુનાં પૂર
કોઈ નિકટ ન
આવ્યું હોત
કે દ્દ્રર ન ચાલી
ગયું હોત
શબ્દો ન હોત તો.
અનુવાદ સહાય:
ડો.રચના પ્રદીપકુમાર પોળ
No comments:
Post a Comment