Monday, May 13, 2013

તું કોણ?: દામોદર મોરે






એનું એવું થયું
મારા ગામમાં
મારો હું
ઘણા સમયે ગામના ઝાંપે દાખલ થતાં જ
એક દિવસ
શાળાનાં બે નાનાં બાળકોની નજર
મારા પર ઠરી.

એકના નીતર્યા પાણી જેવા અંત:કારણમાં
ઉભરાઈ આવેલ કવિ વિષે કુતૂહલ.
અરે, એ જ કવિ છે!
મેં એમને  જોયા છે
બીજાની  રક્તપેશીઓમાં સનાતની સંસ્કાર-
એકદમ આવી ગયું હોઠે
નહીં, નહીં, એ કવિ નથી!
મહારનો છોકરો છે, મહારડામાં મેં જોયો છે!
એનું એવું થયું નીતર્યા પાણી જેવું અંત:કરણ
ચૂપ થઇ ગયું,
ધીરેધીરે ગંદું થતું ગયું.
એ વિચારમાં પડી ગયો:
મહાર તે કદી કવિ થઇ શકે?
ભયંકર અંધકારે
ઘેરી લીધું મારું મન
ખડખડ હસીને :
મહાર કદી કવિ થયો ભાળ્યો છે?
ભયંકર અંધકારે ઘેરી લીધું
મારું મન , ખડખડ હસતાંહસતાં,
તું કોણ છે?
કવિ કે મહાર?
અસીમ આ પ્રશ્નનો બોજ
હજી  પણ મારી સમક્ષ.



અનુવાદસહાય:
ડૉ.મોહિત શરદ શોલાપુરકર 

No comments:

Post a Comment